જન્માષ્ટમીના તહેવારોમાં મોજમસ્તીનો માહોલઃ જામ્યુકો દ્વારા શ્રાવણીમેળાનું ઉદ્દઘાટન



જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લાં લાંબા સમયગાળા પછી જામનગરમાં રંગમતિ-નાગમતિ નદીના પટમાં પરંપરાગત યોજવામાં આવતા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પણ પાંચ દિવસીય લોકોમેળો યોજવા આયોજન કરાયું હતું. આ શ્રાવણી લોકમેળાનું ઉદ્દઘાટન જામનગરના મેયર પ્રતિભાબેન કનખરા તથા સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ ડેપ્યુટી મેયર ભરતભાઈ મહેતા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કમલાસિંહ રાજપૂત, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, શાસક પક્ષના નેતા ધર્મરાજસિંહ જાડેજા, આશિષ ટંકારીયા, કોર્પોરેટર કેતનભાઈ નાખવા, ન.પ્રા.શિ. સમિતિના ચેરમેન ડો. મધુસુદન ગોંડલીયા સહિતના પદાધિકારી, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીરઃ નિર્મલ કારીયા)

Post a Comment

Previous Post Next Post